કાંકરેજ તાલુકાનાં ખારીયા ગામે રોડનું ખાતમુર્હુત ખારીયા ગામના પનોતા પુત્ર કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું 

કાંકરેજ,

કાંકરેજ તાલુકાનાં ખારીયા ગામે રોડનું ખાતમુર્હુત ખારીયા ગામના પનોતા પુત્ર કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.  જેમાં આજે ગામનાં આગેવાનો જેતે વિસ્તારના લોકો રોડના ખાતમુર્હુત માં હાજર રહ્યાં હતાં. ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને ધારાસભ્ય એ ખારીયા ગામ થી ઠાકોરવાસ અને દેસાઈ વાસ તરફ જતો કાચો માર્ગ, રૂની રોડથી વેદારી વાટ કહેવામાં આવે છે તે માર્ગ થી કેનાલ સુધી રોડ બનાવા માટે આજે રોડનું ખાતમુર્હુત કર્યું હતું.

ત્યારે વર્ષોથી પરેશાની ભોગવતાં હતાં તે સમસ્યાનો આજે નિકાલ આવતાં લોકોએ કાંકરેજ ધારાસભ્ય નો આભાર માન્યો હતો. ખાત મુહુર્ત માં ઉપસ્થિત, ગામનાં સરપંચ અંદરસિંહ વાઘેલા, ડે.સરપંચ સગરામજી ઠાકોર, સિધ્ધરાજસિંહ વાધેલા, શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Related posts

Leave a Comment